Connect Gujarat
ગુજરાત

અંક્લેશ્વર ને.હા.નં 8 પર રૂરલ પોલીસે વાહન ચાલકોને સતર્ક રહેવા અંગેના બોર્ડ લગાવ્યા

અંક્લેશ્વર ને.હા.નં 8 પર રૂરલ પોલીસે વાહન ચાલકોને સતર્ક રહેવા અંગેના બોર્ડ લગાવ્યા
X

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રક ચાલકોને મારમારીને લૂંટની બનતી ઘટનાઓને અટકાવવા માટે રૂરલ પોલીસ દ્વારા હાઇવે પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.અંક્લેશ્વરઅંકલેશ્વર ને.હા.નં 8 પર ટ્રક ચાલકોને રાત્રી દરમિયાન સ્ત્રીના વેશમાં લૂંટારુઓ દ્વારા લલચાવીને મારમારી લૂંટી લેવામાં આવ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જે બનાવોને અટકાવવા માટે અને રાત્રી દરમિયાન વાહન ચાલકો સતર્ક રહે તે અંગે જરૂરી સુચના દર્શાવતા બોર્ડ રૂરલ પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે.

આ બોર્ડ પર પોલીસે રાત્રી દરમિયાન આ જગ્યા પર વાહન ન રોકવા માટે જણાવવામાં આવ્યુ છે, તેમજ પેટ્રોલપંપ અથવા તો હોટલ પર વાહન રોકવા માટેની સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે.

Next Story