Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં શંકાસ્પદ 11 નંગ મોબાઈલ ફોન સાથે દંપતિ ઝડપાયુ

અંકલેશ્વરમાં શંકાસ્પદ 11 નંગ મોબાઈલ ફોન સાથે દંપતિ ઝડપાયુ
X

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ગિરનાર સોસાયટી પાસેથી એક દંપતિને ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ 11 નંગ મોબાઈલ સાથે અટકાયત કરી હતી.

ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક દંપતિ થેલીમાં મોબાઈલ ફોન રાખીને વેચવા માટે ફરતું હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી.પોલીસે ચોકકસ માહિતીના આધારે રાજપીપળા ચોકડી થી મીરા નગર તરફ સઘન તપાસ હાથધરી હતી.

એલસીબી પોલીસને ગિરનાર સોસાયટી પાસે શકમંદ દંપતિ મળી આવ્યું હતુ,પોલીસે તેઓની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા જુદીજુદી કંપનીના 11 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.પોલીસે આ મોબાઈલ ફોન અંગેના જરૂરી બિલ અંગે પુછપરછ કરતા તેઓ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.

એલસીબી પોલીસે 11 નંગ મોબાઈલ ફોન ચોરીના હોવાની આ શંકાને આધારે દિલીપ મનસુખ જોગી અને તેની પત્ની ચંપા જોગી બંને રહે ગડખોલ પાટિયા ઝુપડપટ્ટી,અંકલેશ્વરના ઓ ની ધરપકડ કરીને રૂપિયા 48000ના મોબાઈલ ફોન કબ્જે લઈને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

Next Story