Connect Gujarat
દેશ

કાશ્મીરના અનંતનાગમાં લશ્કરના ત્રણ આતંકીયો ઠાર

કાશ્મીરના અનંતનાગમાં લશ્કરના ત્રણ આતંકીયો ઠાર
X

કાશ્મીરમાં અનંતનાગના વનિહામાં સુરક્ષાદળોએ લશ્કરના ત્રણ આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકીઓની લાશ પાસેથી એક SLR, AK47 અને એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. આ આતંકીઓની ઓળખાણમાં તેઓના નામ શૌકત લૌહાર, મુદસ્સિર અને જિબ્રાનના હોવાનું જાણવા મળ્યુ છે. શૌકત એન મુદસ્સિર લોકલ આતંકી છે, જયારે જિબ્રાન પાકિસ્તાનનો છે.

આ ઓપરેશન જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફ અને સેનાના સંયુક્ત ઓપરેશન દ્રારા પાર પાડવામાં આવ્યુ હતુ. સોમવારના રોજ સાંજે ૭ વાગે આતંકીઓની જાણકારી મળી હતી. અને ૯ વાગે સુરક્ષા દળો એ આતંકીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કાર્યવાહીમાં સુરક્ષાદળોનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

Next Story