અમદાવાદમાં અનરાધાર વરસાદનાં પગલે અંડરબ્રિજો બંધ કરાયા
BY Connect Gujarat27 July 2017 6:31 AM GMT
X
Connect Gujarat27 July 2017 6:31 AM GMT
અમદાવાદમાં મોડી રાતથી શરુ થયેલા અનરાધાર વરસાદનાં પગલે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અંડરબ્રિજો પણ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં 7 ઇંચ વરસાદ પડયો છે, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વરસાદ થયો છે. ગાંધીનગરમાં પણ 6 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા જનજીવનને અસર પહોંચી હતી.
અમદાવાદ એરપોર્ટનાં રન વે પર પાણી ભરાઈ ગયા હોવાથી હવાઈ યાત્રા પણ પ્રભાવિત થઇ છે. અમદાવાદ શહેરનાં મીઠા ખળી, અખબારનગર, અંડરબ્રિજ તેમજ દક્ષિણ અંડરબ્રિજ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા.
Next Story