Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે 20 ઓકટોબરે રંગોળી સ્પર્ધા યોજાશે

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે 20 ઓકટોબરે રંગોળી સ્પર્ધા યોજાશે
X

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે 20 ઓકટોબરે રંગોળી ફરિફાઇનું આયોજન કરાયું છે. સ્પર્ધાનો સમય બપોરના 2 થી સાંજના 6 વાગ્યાા સુધીનો રાખવામાં આવ્યો છે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે 5મી ઓકટોબર સુધીમાં નામ નોંધાવી શકાશે. ૧૫ વર્ષથી ઉપરની કોઇ પણ વ્યક્તિ (મહિલા અને પુરુષ) સ્પર્ધામાં ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રંગોળી ૩' x ૪' ની તૈયાર કરવાની રહેશે. રંગોળી દુનિયાના કોઇ પણ શહેરના સીગ્નેચર મોન્યુમેન્ટ આધારિત અથવા કુદરત આધારિત કોઇ વિષય લઇ કરી શકાશે. સ્પર્ધામાં ભાગ લેવા તથા વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૪૨૭૩ ૨૭૬૧૭, ૬૩૫૨૧ ૪૯૦૭૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Next Story