ગુજરાતમાં આશ્રમશાળાના પ્રણેતા અને વિધાનસભાના પહેલા સ્પીકર કલ્યાણજી મહેતાની પુણ્યતિથિ ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઈ

સમગ્ર ભારતમાં પહેલી આશ્રમશાળા શરૂ કરનાર અને ગુજરાત વિધાન સભાના પહેલા અધ્યક્ષ એવા કલ્યાણજી મહેતાની ૪૬મી પુણ્યતિથિ કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઇ હતી.
કલ્યાણજી મહેતા મુંબઇ દ્વિભાષી રાજ્યની વિધાન સભાના છેલ્લા સ્પીકર હતા. અને ગુજરાત રાજ્યની વિધાનસભાના પહેલા સ્પીકર હતા. તેમણે ૧૯પ૩માં આશ્રમશાળા શરૂ કરવા માટે મુંબઇ દ્વિભાષી રાજ્યમાં પહેલી વખત ખરડો પસાર કરાવ્યો હતો. અને ત્યાર પછી ભરૂચના નેત્રંગ પાસે આવેલ ચાસવડ ખાતે તે સમયે તેમણે પહેલી આશ્રમશાળાની શરૂઆત સરદાર વલ્લભભાઇ પટેલ અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી એવા પારસી મહિલા મીઠુબાઇ પીટીટ (માઈજી)ની સાથે શરૂ કરી હતી. મીઠુબેન પીટીટે કસ્તુરબા સેવાશ્રમ મરોલી ખાતે સ્થાપના કરી હતી. જેમના પહેલા પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="102670,102671,102672"]
૧૯પ૩માં પહેલી આશ્રમશાળાની સ્થાપના બાદ અનુક્રમે મરોલી, કેવડી અને આંબાવાડી ખાતે પણ આશ્રમશાળાઓની શરૂઆતી થઇ હતી. તેમાંથી ભારતની પહેલી આશ્રમશાળા ગણાતી ચાસવડની આશ્રમશાળા આજે પણ શ્રેષ્ઠ આશ્રમશાળા ગણાય છે. હાલ આ આશ્રમશાળાના મેનેજીંગ ડિરેકટર તરીકે પૂર્વમંત્ર ખુમાનસિંહ વાંસિયા સેવા આપે છે. ગુરૂવારના રોજ આશ્રમશાળાના પ્રણેતા એવા કલ્યાણજી મહેતાની ૪૬મી પુણ્યતિથિ ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઇ હતી. જેમાં મેનેજીંગ ડિરેકટર ખુમાનસિંસ વાંસિયા ઉપરાંત ભરૂચ પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અને પત્રકાર જગદીશ પરમાર, નિવૃત્ત પ્રાધ્યાપક શરદભાઇ, કસ્તુરબા સેવાશ્રમ મરોલીના વ્યવસ્થાક પ્રતાપભાઇ, સહવ્યવસ્થાપક ધીરજભાઇ, આશ્રમશાળાના આચાર્ય ગૃહપતિ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલ્યાણજી કાકાને શ્રધ્ધાંજલિ સ્વરૂપે તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે મેનેજિંગ ડિરેકટર ખુમાનસિંહ વાંસિયાએ કલ્યાણજી મહેતા, મીઠુબેન પીટીટ અને સરદાર વલ્લભભાઇ પટેલના જીવનની ઝાંખી કરાવી આશ્રમશાળાની માહિતી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ પણ કલ્યાણજી કાકા જીવન ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT