Connect Gujarat
ગુજરાત

જામનગર : કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે જ 4 લોકોનું મોત

જામનગર : કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે જ 4 લોકોનું મોત
X

જામનગર જિલ્લાના નવાગામ-છીકારી ગામ વચ્ચે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સહિત બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળ્યો હતો. બનાવની જાણ થતા જ જામનગર 108 અને મેઘપર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલ નવાગામના રહેવાસી 21 વર્ષીય કુલદીપ સોનરત, 14 વર્ષીય વિશ્વરાજસિંહ ઝાલા, 22 વર્ષીય

સુખદેવસિંહ જાડેજા તેમજ અન્ય એક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ

ખસેડ્યા હતા. એક જ ગામ (નવાગામ)ના 4 યુવાનોના

અકસ્માતે મોતથી ગ્રામજનોમાં ભારે શોકની લાગણી છવાઇ ગઇ હતી, ત્યારે હાલ પોલીસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો હતો, તે અંગે વધુ

તપાસ હાથ ધરી છે.

Next Story