ધરમપુર: પ્રગટેશ્વરધામ આછવણીમાં પાર્થિવ શિવલિંગની પૂજા/રાજોપચાર અભિષેક કરાયો

પાર્થિવ શિવલિંગનું તાન નદીમાં ભક્તિભાવપૂર્ણ વિસર્જન કરાયું
પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણી ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે માટીમાંથી બનાવેલા પાર્થિવ શિવલિંગની પૂજા અને રાજોપચાર અભિષેક ભૂદેવો કશ્યપભાઇ જાની અને અનિલભાઇ જોષીએ કરાવ્યો હતો. પ્રગટેશ્વરધામથી પાર્થિવ શિવલિંગની ભવ્ય શોભાયાત્રા કાઢી વડપાડા ખાતે તાન નદીમાં ભવિક્તભાવપૂર્ણ વિસર્જન કરાયું હતું. શોભાયાત્રામાં હજારો શિવભક્તો જોડાયા હતા. આ પવિત્ર અવસરે વહેલી સવારે બ્રહ્મમૂહૂર્તમાં લઘુરુદ્ર યજ્ઞ કરાયો હતો. ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાએ બ્રાહ્મણોને દાન આપી બ્રહ્મભોજન કરાવ્યું હતું.
[gallery td_gallery_title_input="પ્રગટેશ્વરધામ આછવણીમાં પાર્થિવ શિવલિંગની પૂજા/ રાજોપચાર અભિષેક કરાયો" td_select_gallery_slide="slide" size="large" ids="107493,107494,107495,107496"]
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ધર્માચાર્ય પરભુદાદાએ ભગવાન શિવની કૃપા હરહંમેશ બની રહે અને આપણા જીવન સુખરૂપ પસાર થાય તેવી દરેક શિવભક્તોની ઇચ્છા ભોળાનાથ પૂરી કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલૌકિક આત્માના કલ્યાણ માટે ભગવાન શિવની નિઃસ્વાર્થભાવે આરાધના કરવી જોઇએ. પાર્થિવ શિવલિંગની પૂજા-દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે. પરમશિવના ઉપાસકોની બધી જવાબદારી ભગવાન શિવ ઉપાડી લે છે. ગત જન્મમાં શિવના ઉપાસક હશે તેઓ જ આ જન્મમાં આ પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકે છે. પાર્થિવ શિવલિંગની પૂજાનું સંપૂર્ણ ફળ મળે તે માટે તેના વિસર્જન સુધીની યાત્રા કરવી જોઇએ. જેનું પુણ્ય હોય તે જ આગળ વધી શકે છે, સત્કર્મ કરી શકે છે. ભૂદેવો ભગવાનની સૌથી નજીક હોય છે, જેથી બ્રાહ્મણ દ્વારા જ સત્કર્મો કરાવવા જોઇએ.
ધરમપુરના ભાગવત કથાકાર રાજુભાઇ શાષાીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, ભગવાન શિવ કલ્યાણના દેવ છે. શ્રાવણ માસમાં મહાદેવના સાનિધ્યમાં બેસી ભગવાન શિવની આરાધના કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે. કર્મનો હિસાબ દરેકે આપવો જ પડે છે અને અહંકારથી કરેલું કર્મ કયારેય સફળ થતું નથી, જેથી સૌએ સારાં કાર્યો કરવાં જોઇએ. ભીખાભાઇ શાષાીએ જણાવ્યું હતું કે, ભગવાન શિવની પૂજા ઉત્તમ ફળ આપે છે. શિવ ઉદાર ભાવે તેમની કૃપા આપણા ઉપર રાખીને સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપે છે.
આ કાર્યક્રમમાં પ્રગટેશ્વર ધામના પ્રમુખ બિપીનભાઇ પરમાર, મંત્રી ગોપાળભાઇ પટેલ, ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવારના શિવભક્તો, ભૂદવોએ ભાગ લઇ શિવમગ્ન બની ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT