Connect Gujarat
ગુજરાત

ભરૂચ: આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન

ભરૂચ: આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન
X

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા શરૂ

થયેલ નવું વર્ષ સમાજ માટે ગ્રામજનો માટે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ લોકો માટે આ

વર્ષ સુખ દાઈ નીવડે દરેકને તેમના ધંધા રોજગારમાં સફળતા પ્રાપ્ત થાય તથા દરેકના

સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ હેતુથી નવચંડી યજ્ઞનું આહીર સમાજ દ્વારા તવરા પાંચ દેવી

મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સવારે ૯ કલાકે તવરા આહિર ફળિયામાંથી પાંચ દેવી

મંદિરે સુધી માતાજીની શોભાયાત્રા નીકળી હતી તથા 10:00 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો

હતો અને સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન અને 6:00

કલાકે મહાપ્રસાદી તથા રાત્રે માતાજીનું જાગરણ ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો

હતો.આ પ્રસંગે જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો તથા તવરા ગામના ગ્રામજનો મોટી

સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story