/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/2..jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના 68માં જન્મ દિન પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે. હાલમાં જ સંત શ્રી પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા હતા જેના કારણે કોંગ્રેસ દ્વારા ખુબજ સાદગી પૂર્ણ અને સમાજમાં ઉદાહરણ રૂપ અહેમદ પટેલ નો જન્મદિન મનાવવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસે આ પ્રસંગે જુવેનાઇલ હોમના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે નારી કેન્દ્રની દીકરીઓને ડ્રેસ મટીરીયલ્સનું વિતરણ થી બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
જયારે વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા પણ સાંસદ અહેમદ પટેલના જન્મદિન પ્રસંગે વાગરાના આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 68 જેટલા કોંગ્રેસના કર્યકર્તા ઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતુ. આ રક્તનો ઉપયોગ વાગરાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતી સગર્ભા મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ કોંગ્રેસ અગ્રણી દ્વારા જાણવા મળ્યુ છે.