સુરત : પાંડેસરા ખાતે DGVCLનો વીજ તાર તૂટીને માથા પર પડતાં યુવકનું મોત
BY Connect Gujarat6 Aug 2019 5:13 AM GMT

X
Connect Gujarat6 Aug 2019 5:13 AM GMT
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય પ્રફુલ ભુર્યા પાંડેસરા જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના કામ કરતો કરતો હતો. બપોરે પ્રફુલ ઘરે જમીને કારખાને પરત જતો હતો. ત્યારે અચાનક કારખાના નજીક ડીજીવીસીએલનો જીવંત વિજતાર તુટીને તેની ઉપર પડતા કરંટ લાગવાથી પ્રફુલનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે તેના સાથી કારીગરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને હોબાળો મચાવી આસપાસના કારખાના બંધ કરાવી દીધા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારીગરોને સમજાવી મામલો થાળે પાડી ડેડ બોડીને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ પ્રફુલના પરિવારજનોએ DGVCL પર બેદરકારીનો આક્ષેપ મૂકી જવાબદાર અધિકારી પર કારવાઈની માંગ કરી છે
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT