Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ખેડૂતોનીએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર ફરી વળ્યું પાણી

સુરેન્દ્રનગર: ખેડૂતોનીએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર ફરી વળ્યું પાણી
X

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા દરેક સીઝન મુજબ મહા મહેનતે પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં કપાસ, એરંડા, મગફળી, જાળ સહિતના પાકોનું હાલ હજારો હેકટર જમીનમા વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી, લખતર, પાટડી, ધ્રાંગધ્રા સહિતના તમામ તાલુકાના ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર પાણી ફરી વળ્યું હતું અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મોટા પાયે નુકશાની પહોંચી હતી. જે અંગે ખેડૂતોએ નુકશાની અંગે વળતર મેળવવા અરજીઓ કરી હતી.

ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર

દવારા ખેડૂતોને થયેલ નુકશાની અંગે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જે મુજબ

દરેક ખેડૂત દીઠ પ્રતિ હેકટર નુકશાની દીઠ રૂપિયા ૬૮૦૦/- ચુકવવાની જાહેરાત કરી

છે.જયારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ ઇંચ થી વધુ કમોસમી વરસાદ પડ્યો હોવાથી

એસડીઆરએફના નિયમ મુજબ દરેક ખેડૂતને પ્રતિ હેકટર દીઠ રૂપિયા ૧૩૫૦૦/- વળતર મળવાપાત્ર છે. પરંતુ રાજ્ય સરકારે અગાઉ આ જાહેરાત કર્યા બાદ તાજેતરમાં માત્ર

ખેડૂત દીઠ રૂપિયા ૬૮૦૦/- હેકટર દીઠ જાહેર કરી છેતરપિંડી અને અન્યાય કરવામાં આવ્યો

છે.

આથી જિલ્લાભરના ખેડૂતો સહીત

આગેવાનો દ્વારા રાજ્ય સરકાર તેમજ વીમા કંપની સામે રોષ દાખવી જિલ્લા કલેકટર કચેરી

ખાતે એકત્ર થયા હતા અને વીમા કંપનીને ફાંસીએ ચઢાવવાના ગાળીયા સાથે લાવી

સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી.આ તકે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા

સહીત ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, જે. કે. પટેલ સહીત વિવિધ

તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા

હતા.

Next Story