હલદરવા ગામની આંગણવાડી જર્જરિત બનતા બાળકો પરેશાન

બાળકોના ભવિષ્ય માટેનો પાયો જ જો જર્જરિત હોય તો આવતીકાલના ભવિષ્ય સમાન બાળકોનું ઘડતર કેવી છે શક્ય બની શકશે ? વાત કરીએ કરજણ તાલુકાના હલદરવા ગામની આંગણવાડીની તો કરજણ તાલુકાના હલદરવા ગામમાં આવેલી આંગણવાડી જર્જરિત બનતા નાના ભૂલકાઓ પરેશાની ભોગવી રહ્યા છે. જર્જરીત આંગણવાડીના મકાનની જાણ મીડિયા સુધી પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે મીડિયાના કર્મીઓએ આંગણવાડીની મુલાકાત લેતા આંગણવાડીના દરવાજા કટાયેલી હાલતમાં જોવા મળ્યા હતા તેમજ આંગણવાડીના મકાનની દિવાલોમાં તિરાડો પડેલી પણ નજરે પડી હતી.
આંગણવાડીના સંચાલકને જર્જરિત આંગણવાડી વિશે પુછતા તેઓએ જણાવ્યું હતું કે હું પંદર વર્ષથી આંગણવાડીમાં ફરજ બજાવું છું પાંચ વર્ષથી આંગણવાડીનું મકાન જર્જરિત બનતાં બાળકોને બેસાડી શકાય એમ નથી તેમજ આંગણવાડીમાં આવવાનો માર્ગ નથી. તેથી બાળકોને હાલાકી પડી રહી છે. વધુમાં જર્જરિત આંગણવાડી બાબતે રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ ન આવ્યું હોવાનું પણ સંચાલકે જણાવ્યું હતું. આંગણવાડી જર્જરિત બનતાં હાલ બાળકોને સંચાલક પોતાના ઘરમાં બેસાડે છે. એમ તેઓએ જણાવ્યું હતું. તો જર્જરિત બની ગયેલી આંગણવાડીનું સંબંધિતો દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT