Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ દીવા રોડ સ્થિત સંસ્કારધામ સોસાયટીમાં 3 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા

અંકલેશ્વરઃ દીવા રોડ સ્થિત સંસ્કારધામ સોસાયટીમાં 3 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા
X

ત્રણ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૩.50 લાખની મત્તા લઈ તસ્કરો ફરાર

અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સંસ્કાર ધામ સોસાયટીમાં ગત રાત્રિનાં સમયે તસ્કરોએ ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાંથી રૂપિયા ૩. લાખ 50 હજારથી વધુના સામાનની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સંસ્કારધામ સોસાયટીના મકાન નંબર સી ૧૧માં રહેતા કેતન પટેલ ગત રોજ મરણ પ્રસંગે જતાં મકાન બંધ હતું. આ દરમ્યાન રાત્રીના સમયે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યુ હતું. મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી ૩. લાખ35 હજારના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ જ સોસાયટીના અન્ય બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. સોસાયટીમાં બી ૪૬ નંબરના મકાનમાં રહેતા સતીષ રાણાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રૂપિયા ૨૬ હજારના માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું હતું જેમાંથી હજારો રૂપિયાના માલ સામાનની ચોરી થઇ હતી. આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Next Story