Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર:ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી,૩ને ઇજા

અંકલેશ્વર:ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી,૩ને ઇજા
X

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી ખાઈ જતા બે

મહિલા સહીત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.

વલસાડના ડુંગરી ગામમાં રહેતા મનીષભાઈ પટેલ કાર નંબર-જી.જે.15.સી.એફ.8787 લઈ

અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન ખરોડ ગામની ચોકડી નજીક કાર

ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ

અકસ્માતમાં કારમાં સવાર સુમનબેન પટેલ,મંજુલાબેન પટેલ અને ચાલકને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે

અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Next Story