અંકલેશ્વરનાં બજારમાં દિવાળીની ખરીદી માટે કિડીયારુ ઉભરાયુ
BY Connect Gujarat16 Oct 2017 1:38 PM GMT
X
Connect Gujarat16 Oct 2017 1:38 PM GMT
અંકલેશ્વરનાં બજારોમાં અંતિમ દિવસોમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે. જેના કારણે વેપારીવર્ગ પણ ગેલમાં આવી ગયો છે.
દિવાળીનાં પર્વની ઉજવણીનાં થનગનાટ સાથે બજારોમાં નવા વર્ષને વધાવવા માટે લોકો અંતિમ ક્ષણોમાં બાકી રહેલી ખરીદીને પૂર્ણ કરવામાં લાગી ગયા છે. તો ફટાકડા માર્કેટમાં પણ ભીડ નજરે પડી હતી. અને પ્રકાશનાં પર્વ દિવાળીને વધાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બજારમાં ભારે ભીડ જામતા માર્ગો પર ટ્રાફિક ભારણ વધ્યું હતું. શહેરમાં ચૌટા બજાર થી લઇ સ્ટેશન સુધી દરેક ચાર રસ્તા જંકશન પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
Next Story