અંકલેશ્વરના ખરોડ પાસે રાજકોટના યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
અંકલેશ્વર ખરોડ રાજકોટ જસદણ યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વર 500 ક્વાટર્સ સંસ્કુતિ ફ્લાવર એપાર્ટમેન્ટ ખાતે રહેતા 35 વર્ષીય યુવાન મોટર સાઇકલ પર ખરોડ પાસે અવાવરું જગ્યા ઝેરીદવા ગટગટાવી લીધી હતી. તાલુકા પોલીસે અકસમાત મોતનો ગુનો નોંધી મૃતક યુવાનના આપઘાત પાછળના કારણો અંગે વધુ તપાસ આરંભી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી 500 ક્વાટર્સ વિસ્તારમાં આવેરલ સંસ્કૃતિ ફ્લાવર્સ એપાર્ટમેન્ટ માં રહેતા મનોજભાઈ ભીખાભાઇ કોતરીયા મૂળ રાજકોટના જસદણના રહેવાસી છે. જેવો છેલ્લા કેટલાક વખત થી નોકરી ધંધા અર્થે અંકલેશ્વર ખાતે રહેતા હતા. ગુરુવાર રોજ તેમનો મૃતદેહ તેમની મોટર સાઇકલ સાથે ખરોડ ગામ ની સીમમાં અવાવરું જગ્યાએ મળી આવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક 35 વર્ષીય મનોજભાઈ કોતરીયાના મૃતદેહ પી.એમ.અર્થે ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક રિપોર્ટ માં ઝેરી દવા ગટગટાવા કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે સુરત રિવર વ્યુ એપાર્ટમેન્ટ વરાછાના રહીશ મધુભાઈ જીવરાજભાઈ કાયાણી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે પ્રાથમિક અકસમાત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અને મરનાર મનોજ કયા કારણસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ આદરી હતી.