અંકલેશ્વરની સાંઈ સુમન સોસાયટીમાં હાથફેરો કરતા તસ્કરો
BY Connect Gujarat9 Oct 2016 9:38 AM GMT
X
Connect Gujarat9 Oct 2016 9:38 AM GMT
અંકલેશ્વર હાંસોટ રોડને અડીને આવેલ સાંઈ સુમન સોસાયટીમાં તારીખ 8મી ની રાત્રીએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.
સાઈં સુમન સોસાયટીમાં રહેતા રાજુ નાથાભાઈ ગુંદાની તેમના પરિવારજનો સાથે રાત્રી દરમિયાન ગરબા જોવા માટે ગયા હતા. ત્યારે આ તકનો લાભ લઈને તસ્કરોએ તેઓના બંધ ઘરને નિશાન બનાવ્યુ હતુ અને ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા.અને કબાટમાં રાખેલા રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.
આ ઉપરાંત તસ્કરોએ અન્ય એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. ઘટના અંગે શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Next Story