અંકલેશ્વરમાં એલપીજી ગેસને રીફીલીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
BY Connect Gujarat30 Sep 2019 10:28 AM GMT
X
Connect Gujarat30 Sep 2019 10:28 AM GMT
અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી મીરાનગર સોસાયટીના ભાડાના મકાનમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળી હતી. પોલીસે મકાન નંબર 384માં છાપો માર્યો હતો. આ મકાનમાં કુલદીપ બંસીલાલ ડીંડવાગીયા ભાડેથી રહે છે. તે એલપીજીના મોટા બોટલમાંથી ગેસને નાના બોટલોમાં રીફીલીંગની કામગીરી કરતો હતો.
આ કામગીરી કોઇ પણ સુરક્ષાના પગલા ભર્યા સિવાય કરવામાં આવતી હતી. પોલીસના દરોડા દરમિયાન કુલદીપ ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ફરાર કુલદીપ સામે ગુનો નોધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Next Story