અંકલેશ્વરમાં કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ભગતનું ઉષ્માભર્યુ સ્વાગત કરતા કાર્યકર્તાઓ
BY Connect Gujarat20 Nov 2017 10:39 AM GMT
X
Connect Gujarat20 Nov 2017 10:39 AM GMT
અંકલેશ્વરમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ઉમેદવાર અનિલ ભગતને સમર્થન આપીને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેઓનું શહેર ખાતેની કોંગ્રેસ કાર્યાલય પર અનિલ ભગતનું ઉષ્મભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર - હાંસોટ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા અનિલ ભગત પર ઉમેદવાર તરીકે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જે અંકલેશ્વરનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ વધાવી લીધો હતો, અને શહેરની કોંગ્રેસની કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને અનિલ ભગતને સમર્થન આપ્યુ હતુ.
આ ઉપરાંત અનિલ ભગતનું અંકલેશ્વર શહેર કોંગ્રેસની કાર્યાલય ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખની છે કે તારીખ 21મીનાં રોજ અનિલ ભગત પોતાની ઉમેદવારીનું નામાંકન કરીને વિધિવત ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.
Next Story