Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ચપ્પુના ઘા મારીને યુવાનની હત્યા થી ચકચાર

અંકલેશ્વરમાં ચપ્પુના ઘા મારીને યુવાનની હત્યા થી ચકચાર
X

વાપરવા માટે રૂપિયા નહિ આપતા ત્રણ ભાઈઓએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

અંકલેશ્વર શહેર ખાતેના કસ્બાતીવાડમાં પૈસાની લેતીદેતીના મામલે એક યુવાનને ત્રણ સગા ભાઈઓએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેરના તૈયબ નગર ચાંદની પાર્ક કસ્બાતીવાડમાં રહેતા રિયાઝ અબ્દુલ અઝીઝ શેખ ઉ.વ.28ના ઓ તારીખ 8મી ની રાત્રીએ નમાઝ પેઢીને પોતાની બાઈક પર ઘરે પરત જઈ રહ્યા હતા,ત્યારે કસ્બાતીવાડમાં રહેતા ત્રણ ભાઈઓ અર્ષદ ઉર્ફે બાગ અસ્લમ હાંસોટી,અરબાઝ અસ્લમ હાંસોટી અને આફતાબ અસ્લમ હાંસોટીનાઓ એ રિયાઝને માર્ગમાં અટકાવ્યો હતો,અને તેની પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી.

જોકે તેઓની માંગણીનો રિયાઝે અસ્વીકાર કરતા ઉશ્કેરાય ગયેલા ત્રણેય ભાઈઓએ રિયાઝને અપશબ્દો બોલીને છાતીના ડાબા ભાગે ચપ્પુના ઘા મારીને ફરાર થઇ ગયા હતા.ગંભીર ઇજાના પગલે રિયાઝનું કરુણ મોત નિપજ્યુ હતુ.

બનાવ સંદર્ભે રિયાઝના ભાઈ તન્વીર અબ્દુલ અઝીઝ શેખે શહેર પોલીસ મથકમાં અર્ષદ ઉર્ફે બાગ અસ્લમ હાંસોટી, અરબાઝ અસ્લમ હાંસોટી અને આફતાબ અસ્લમ હાંસોટી વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ દર્જ કરાવી હતી. શહેર પોલીસ મથકના પીઆઇ સી આર રાણાએ આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story