અંકલેશ્વરમાં ટેક્નોલોજીની સંબંધ પર અસર વિષય પર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ યોજાશે
અમદાવાદનાં કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ દ્વારા મોર્ડન ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપશે
અંકલેશ્વર જીઆઇડીસી યુપીએલ રોટરી લાયબ્રેરી ખાતે તારીખ ૨૮મી એપ્રિલ ૨૦૧૯ રવિવારનાં રોજ સવારે ૧૧ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ટેક્નોલોજીની સંબંધો પર અસર વિષય પર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
બુક લવર્સ ફોરમ અંકલેશ્વર દ્વારા યુપીએલ રોટરી લાયબ્રેરી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં સહયોગ થી આયોજીત આ કાર્યક્રમમાં અમદાવાદના કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ આકાંક્ષા વર્ગીશ દ્વારા વર્તમાન પરિસ્થિતમાં ટેક્નોલોજી થી સંબંધોમાં સર્જાયેલી પરિસ્થિતિ પર વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત મોર્ડન ટેક્નોલોજીની સંબંધો પર અસર , કોમ્યુનિકેશન જનરેશન ગેપ , ટેક્નોલોજીનો માર્યાદિત ઉપયોગ , કાલ્પનિક વિશ્વમાં આત્મવિશ્વાસ , એકાગ્રતામાં અવધિ સહિતનાં રસપ્રદ વિષયો પર સાયકોલોજીસ્ટ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.