Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ટેક્નોલોજીની સંબંધ પર અસર વિષય પર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ યોજાશે

અંકલેશ્વરમાં ટેક્નોલોજીની સંબંધ પર અસર વિષય પર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ યોજાશે
X

અમદાવાદનાં કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ દ્વારા મોર્ડન ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપશે

અંકલેશ્વર જીઆઇડીસી યુપીએલ રોટરી લાયબ્રેરી ખાતે તારીખ ૨૮મી એપ્રિલ ૨૦૧૯ રવિવારનાં રોજ સવારે ૧૧ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ટેક્નોલોજીની સંબંધો પર અસર વિષય પર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

બુક લવર્સ ફોરમ અંકલેશ્વર દ્વારા યુપીએલ રોટરી લાયબ્રેરી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં સહયોગ થી આયોજીત આ કાર્યક્રમમાં અમદાવાદના કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ આકાંક્ષા વર્ગીશ દ્વારા વર્તમાન પરિસ્થિતમાં ટેક્નોલોજી થી સંબંધોમાં સર્જાયેલી પરિસ્થિતિ પર વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત મોર્ડન ટેક્નોલોજીની સંબંધો પર અસર , કોમ્યુનિકેશન જનરેશન ગેપ , ટેક્નોલોજીનો માર્યાદિત ઉપયોગ , કાલ્પનિક વિશ્વમાં આત્મવિશ્વાસ , એકાગ્રતામાં અવધિ સહિતનાં રસપ્રદ વિષયો પર સાયકોલોજીસ્ટ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.

Next Story