અંકલેશ્વરમાં તેલના વેપારીને ત્યાં આયકર વિભાગના સર્વેથી ફફડાટ
BY Connect Gujarat2 March 2017 12:07 PM GMT
X
Connect Gujarat2 March 2017 12:07 PM GMT
અંકલેશ્વર શહેરના ગોયાબજાર ખાતે એક તેલના હોલસેલ વેપારીને ત્યાં આયકર વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના હોલસેલના માર્કેટ તરીકે જાણીતા ગોયાબજારના એક તેલના વેપારીને ત્યાં આયકર વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
આઇટી વિભાગના સર્વેથી વેપારી આલમમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગ દ્વારા અનાજ , કરિયાણા તેમજ તેલના વેપારીઓને સાણસામાં લેવામાં આવી રહ્યા છે.
Next Story