Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ઉપર રસ્તો ઓળંગતા એક શ્રમજીવીનું કારની ટક્કરે કરૂણ મોત

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ઉપર રસ્તો ઓળંગતા એક શ્રમજીવીનું કારની ટક્કરે કરૂણ મોત
X

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટ નજીક રસ્તો ઓળંગતા એક શ્રમજીવીને પુર ઝડપે આવતી એક ફોર વ્હીલે ટક્કર મારતા શ્રમજીવીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઈવે પર સવારે ૮થી ૮.૩૦ કલક દરમિયાન મજૂરીકામે જતો એક યુવાન હાઇવે ક્રોસ કરતો હતો તે દરમિયાન ફુલ ઝડપથી આવી રહી ફોરવીલ GU-16-AP-5148 એસેન્ટ ગાડીએ તેમને ટક્કર મારતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. એકસીડન્ટ થતા જ આજુબાજુના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારના ચાલકે જેઓ સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા જતા હતા તેણે ઘટનાની જાણ અંકલેશ્વર પોલીસને કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાન કયાંનો છે તે જાણવાની કોશિશ કરી હતી. ત્યારે યુવનના ગજવામાંથી તેમનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું .જેમા તેમનું નામ રાકેશભાઈ જાદવ જાણવા મળ્યું હતું. જેવો અંકલેશ્વર નોબલ માર્કેટમાં જ રહેતા હોય તેવું પણ જાણવા મળ્યું હતું. હાલ પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે અકસ્માત સર્જનાર ગાડીને કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story