Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં પદ્માવત ફિલ્મ જોવાની વાત પર યુવકને મારમારતો વિડીયો વાયરલ

અંકલેશ્વરમાં પદ્માવત ફિલ્મ જોવાની વાત પર યુવકને મારમારતો વિડીયો વાયરલ
X

અંકલેશ્વરમાં પોતાના મિત્ર સાથે મોબાઈલ પર મુંબઈ ખાતે પદ્માવત ફિલ્મ જોવા જવાનું કહેતા મામલો બિચક્યો હતો, અને યુવકને મારમારી તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયલર કરવામાં આવતા ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર અને આરોપીઓ પણ રાજપૂત સમાજનાં જ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

ફિલ્મ પદ્માવતને લઇને દેશભરમાં લોકજુવાળ જોવા મળી રહ્યો છે.ત્યારે ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવવાની માંગ સાથે દેશભરમાં કરણી સેના અને અન્ય હિંદૂત્વવાદી સંગઠનો દ્વારા વિવિધ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

આ વિરોધ વચ્ચે એક વિડીયો વાયરલ બનતા આખો મામલો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનાં ઘ્વારે પહોંચ્યો છે.

પોલીસ ચોપડે નોંધવામાં આવેલ ફરિયાદ અનુસાર ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાદવ રહે A / 304 ગાયત્રી ચેમ્બર્સ, ગોપાલ નગરની બાજુમાં કોસમડી અંકલેશ્વરનાં ઓ તારીખ 24મી જાન્યુઆરીએ અંકલેશ્વર જીઆઇડીસીની જલધારા ચોકડી નજીક આવેલ મોર્યા શોપિંગ સેન્ટર પાસે દુકાનમાં ચા નાસ્તો કરતા હતા, તે દરમિયાન તેમના પર તેમના મિત્રનો વડોદરા થી ફોન આવ્યો હતો, અને ફોન પર તેઓ પદ્માવત ફિલ્મ જોવાની વાત કરતા હતા.

જે વાતચીત ભાર્ગવસિંહ રામસિંહ પઢીયાર રહે મકાન નંબર 3086 / 45 બંગ્લોઝ,નિયમ રેસીડેન્સી પાસે અંકલેશ્વર તેમજ રણજીતસિંહ પુનાભાઈ કુવાડ રહે ફ્લેટ નંબર 302, શાલીમાર એપાર્ટમેન્ટ, ભડકોદ્રા, અંકલેશ્વરનાં ઓ એ ઉપેન્દ્રસિંહને બોલાવીને તેઓની અંડર વર્લ્ડ દુકાનમાં લઇ જઈને મારમારી મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો.

વધુમાં ઉપેન્દ્રસિંહ પાસે માફી પણ મંગાવી હતી,તેમછતાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયલર બનતા ઉપેન્દ્રસિંહે આઘાતની લાગણી વ્યક્તિ કરી હતી, અને જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

આ ઉપરાંત પોતાની લાગણીઓને અને સ્વમાનને ઠેશ પહોંચાડનાર આરોપીઓ વિરોધ તેઓએ પ્રધાનમંત્રી, રાજ્યનાં મુખ્યમંત્રી તેમજ વડોદરા પોલીસ કમિશનરને પણ ઈમેલ કરીને ફરિયાદ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં દર્જ કરવામાં આવ્યું છે.

હાલ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ઉપેન્દ્રસિંહની ફરિયાદનાં આધારે ભાર્ગવસિંહ રામસિંહ પઢીયાર અને રણજીતસિંહ પુનાભાઈ કુવાડની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.અને આ અંગેની તપાસ પીએસઆઇ જે કે ડાંગર ચલાવી રહ્યા છે.

Next Story