Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુનો કાળા વાવટા ફરકાવીને કર્યો વિરોધ

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુનો કાળા વાવટા ફરકાવીને કર્યો વિરોધ
X

અંકલેશ્વરમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાથેનાં રાજકીય સંબંધોમાં છૂટાછેડા લેનાર શંકરસિંહ વાઘેલા જનવિકલ્પ યાત્રા લઈને આવ્યા હતા, ત્યારે યુથ કોંગ્રસનાં કાર્યકર્તાઓ દ્વારા બાપુને કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસનો હાથ છોડીને શંકરસિંહ વાઘેલા જનપ્રતિસાદ મેળવવા માટે ગુજરાત ભ્રમણે નિકળ્યા છે. અને બાપુએ નવસારીનાં દાંડી ગામે થી જનવિકલ્પનાં પ્રચારની શરૂઆત કરી હતી, બાપુનો કાફલો અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વરનાં યુથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓનાં ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

બાપુનો કાફલો અંકલેશ્વર આવતા જ યુથ કોંગ્રેસે બાપુ વિરોધી સૂત્રોચ્ચાર કરતા મામલો તંગ બન્યો હતો, અને યુથ કોંગ્રેસનો રૂખ પારખીને બાપુએ અંકલેશ્વરમાં રોકાયા વગર જ સીધે સીધું ભાગવું પડ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે બાપુનો કાફલો પસાર થતી વેળાએ તેઓનાં કાફલામાં રહેલી જીપની ટક્કર એક શહેર પોલીસનાં કોન્સ્ટેબલને વાગી હતી અને તેઓનાં પગ પરથી જીપનું ટાયર ફરી વળ્યું હતું, પરંતુ સદ્દનસીબે કોઈ ઇજા પહોંચી નહોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Next Story