Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં લગ્નમાં નાચવા બાબતે ધીંગાણું, તોફાનીઓ એ 20 થી વધુ વાહનોની કરી તોડફોડ

અંકલેશ્વરમાં લગ્નમાં નાચવા બાબતે ધીંગાણું, તોફાનીઓ એ 20 થી વધુ વાહનોની કરી તોડફોડ
X

અંકલેશ્વરના તાડ ફળીયામાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલી તકરારમાં તોફાની ટોળાએ ધાંધલ ધમાલ મચાવી હતી, અને 20 થી વધુ વાહનોની તોડફોડ કરીને પાંચ વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચાડી હતી.

2

અંકલેશ્વર તાડ ફળિયામાં રહેતા યુવાનો ભાટવાડામાં લગ્ન પ્રસંગમાં ગયા હતા, તે દરમિયાન ડી જેમાં નાચતી વેળાએ કેટલાક યુવાનોએ તેઓને તાડ ફળીયામાંથી ભાટવાડમાં શા માટે આવ્યા હોવાનું જણાવીને ઝઘડો કર્યો હતો.

3

જોકે વાત આટલેથી ન અટકતા 25 થી 30 જણનું ટોળુ મારક હથિયારો સાથે તાડ ફળિયામાં ધસી આવ્યુ હતુ. અને ઓટો રિક્ષા, મારૂતીવાન, બાઈકો તેમજ ટેમ્પો સહિત 20 થી વધુ વાહનોની તોડફોડ કરી હતી.

4

વાહનોના નુકશાન દરમિયાન સ્થાનિક રહીશો ઘરની બહાર આવતા સિદ્દીક પઠાણ, સઇદાબાનુ શેખ, બાબુ વસાવા, ઇમરાન ખાન પઠાણ સહિત પાંચ વ્યક્તિને મારમારતા ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

7

ઘટનાની જાણ થતા જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને પોલીસને જોઈને તોફાનીઓ ફરાર થઇ ગયા હતા.

8

બનાવ અંગે પોલીસે બંને પક્ષે ફરિયાદ દર્જ કરીને તોફાનીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story