Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : અન્સાર માર્કેટ સામે બાઇક સ્લીપ થતા ૧નું મોત,૨ ઘાયલ

અંકલેશ્વર : અન્સાર માર્કેટ સામે બાઇક સ્લીપ થતા ૧નું મોત,૨ ઘાયલ
X

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ડિવાઈડર સાથે ભટકાતા થયેલ અકસ્માતમાં એકનું મોત નિપજવા પામ્યું હતું જ્યારે બે વ્યક્તીઓને નાનીમોટી ઇજાઓને પગલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઈવે પર બાઇક નંબર જી જે 16 બી એમ 3342 લઇ ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ પ્રજાપતિ તથા બાઇકની પાછળ બેસેલ બે વ્યક્તિ મળી ત્રિપલ સવારી કંપની તરફ જઈ રહ્યા હતા.દરમિયાન તેમની બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સંજયભાઈ પ્રજાપતિનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ સવાર બીજા બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના રહીશો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિ તથા બીજા બે ઘાયલ દર્દીઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ જયાબેન મોદી ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story