Connect Gujarat
Featured

અંકલેશ્વર : જોગર્સ પાર્ક ખાતે હવે સાયકલીંગની મજા માણી શકાશે

અંકલેશ્વર : જોગર્સ પાર્ક ખાતે હવે સાયકલીંગની મજા માણી શકાશે
X

અંકલેશ્વરના જોગર્સ પાર્કમાં વ્યાયામ કરવા આવતાં લોકો હવે સાયકલીંગની મજા માણી શકશે. અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા ગ્રીન વિહિલ પ્રોજેકટ અંતર્ગત ૧૧ જેટલી સાયકલો મૂકવામાં આવી છે.

અંકલેશ્વર

જીઆઇ.આઈ.ડી.સી. ના જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા ગ્રીન વિહિલ

પ્રોજેકટ અંતર્ગત ૧૧ જેટલી સાયકલ મૂકવામાં આવી છે. સાયકલીંગ થકી સ્વાસ્થયની જાળવણી

થઇ શકે તેમજ લોકોમાં સાયકલ ચલાવવા પ્રતિ જાગૃતિ આવે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં

આવ્યો છે. વ્યાયામ માટે આવતાં લોકો પાસેથી નજીવું ભાડુ લઇ તેમને સાયકલ ચલાવવા માટે

આપવામાં આવશે. પ્રોજેકટના ઉદઘાટન સમારંભમાં એઆઇએના પ્રમુખ મહેશભાઇ પટેલ, બાયસિકલ કલબના નરેશ પુજારા, મહંમદ જડલીવાલા, શ્રીવત્સન સહિતના મહેમાનો હાજર રહયાં

હતાં.

Next Story