Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર નજીક પાનોલી નહેરમાં ડૂબેલા યુવાનની ત્રીજા દિવસે મળી લાશ

અંકલેશ્વર નજીક પાનોલી નહેરમાં ડૂબેલા યુવાનની ત્રીજા દિવસે મળી લાશ
X

અંકલેશ્વર પાનોલી ગામે રહેતા પરિવારનો 17 વર્ષીય પુત્ર મિત્રો સાથે કેનાલ ઉપર ન્હાવા જતાં ડૂબી ગયો હતો. જેની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન ત્રીજા દિવસે તેનો મૃતદેહ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉમરવાડા ફાટક પાસે મિત્રો સાથે નહેર નાહવા આવેલા યુવાનનો મૃતદેહ આખરે તેલવા ગામ પાસેની નહેરમાંથી મળી આવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે રહેતા યુનુસભાઈ બેરાનો 17 વર્ષીય પુત્ર ઇસ્માઇલ ગત બે દિવસ પહેલાં બપોરનાં 1 વાગ્યાના અરસામાં મિત્રો સાથે ઉમરવાડા ફાટક પાસે નહેરમાં નાહવા ગયો હતો. જ્યાંથી લાપતા બન્યો હતો. જે અંગે તેના મિત્રોએ પરિવાને જાણ કરી હતી. પરિવારજનો તેમજ ગામના રહીશો અને પાનોલી ફાયરની ટીમ દ્વારા નહેરમાં સતત્ત શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે વહેલી સવારે તેલવા ગામ પાસેની નહેરમાંથી મળી આવ્યો હતો. દીકરાનો મૃતદેહ મળતાં જ પરિવાર ભાંગી પડ્યો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે પણ પરિવારજનોએ જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story