Connect Gujarat
Featured

અંકલેશ્વર : નેશનલ અને સનાતન ઇન્ટરનેશનલ સ્કુલમાં સ્વતંત્ર પર્વની ઉજવણી

અંકલેશ્વર : નેશનલ અને સનાતન ઇન્ટરનેશનલ સ્કુલમાં સ્વતંત્ર પર્વની ઉજવણી
X

અંકલેશ્વરની નેશનલ અને સનાતન ઇન્ટરનેશનલ સ્કુલમાં 15મી ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વની સરકારની ગાઇડલાઇન મુજબ ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કહેરના કારણે સ્વતંત્ર પર્વની ઉજવણી મર્યાદીત લોકોની હાજરીમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવીને કરવા માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. અંકલેશ્વરની નેશનલ અને સનાતન ઇન્ટરનેશનલ શાળામાં નિયમોના પાલન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાય હતી. મુખ્ય મહેમાન તરીકે એલ.બી.પાંડે હાજર રહયાં હતાં અને તેમના હસ્તે તિરંગો ફરકાવાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી અનુરાગ પાંડે તથા શાળાનો સ્ટાફ હાજર રહયો હતો.

Next Story