અંકલેશ્વર: પાનોલી જીઆઇડીસી માંથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો
BY Connect Gujarat17 May 2019 11:50 AM GMT
X
Connect Gujarat17 May 2019 11:50 AM GMT
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માંથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા ઇસમ નો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માંથી પસાર થતી નહેરમાંથી આજરોજ અજાણ્યા ઇસમની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. નહેર પર ગયેલ યુવાને અજાણ્યા ઇસમની લાશ જોતા અંકલેશ્વર રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તરવૈયા મારફતે અજાણ્યા યુવાનને નહેરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
આ યુવાનની ઉંમર આશરે ૩૦ વર્ષની છે અને નહેરમાં નાહવા પડ્યો હોય તે દરમિયાન ડૂબી ગયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા ઇસમ ના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.
Next Story