અંકલેશ્વર : મીરાંનગરમાં પુત્રએ કરી માતાની કરપીણ હત્યા
BY Connect Gujarat19 Jan 2019 5:12 PM GMT
X
Connect Gujarat19 Jan 2019 5:12 PM GMT
અંકલેશ્વરમાં મીરાંનગર વિસ્તારમાં પુત્ર દ્રારા માતાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘર ચાલવા માટે માતાએ પુત્ર પાસે પૈસા માગ્યા હતા.પરંતુ પુત્રએ માતાને ઉપરાછાપરી ચપ્પુના ઘા માર્યા હતા.અને માતાને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ એમ્બ્યુલન્સ 108ને કરવામાં આવી હતી, એમ્બ્યુલન્સ 108 દ્રારા માતાને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાઈ રહી હતી. પરંતુ રસ્તામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,
આ ઘટનાની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને કરાતા , પોલીસએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Next Story