અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ડાઉન ટ્રેકનો કેબલ તૂટતાં રેલવે વ્યવહાર ખોરવાયો
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોડી સાંજે રેલવે યાતાયાત માટે ઉપયોગમાં લેવાતો વીજ કેબલ અચાનક તૂટી પડવાના પગલે રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકે રેલવે તંત્ર દ્રારા તૂટેલ વીજ કેબલ નું તત્કાલ સમારકામ હાથ ધરાતા મુસાફરોએ રાહત અનુભવી હતી.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેના ડાઉન ટ્રેક ઉપર નો વીજ કેબલ અચાનક તૂટી પડવાના પગલે રેલ વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે સ્ટેશન માસ્ટર તેમજ રેલવે ટીમ ની સતર્કતાના પગલે તાકીદે તૂટેલ ડાઉન ટ્રેકના વીજ કેબલ નું સમારકામ હાથ ધરાતા થોડા સમય બાદ રેલવેનો ડાઉન ટ્રેકનો વીજ પુરવઠો યથાવત થવાની સંભાવના વર્તતા વીજ વાયર તૂટી પડવાના પગલે ખોરવાયેલો રેલ વ્યવહાર યથાવત થવાની શક્યતાઓ પ્રબળ બનતા અટવાયેલા મુસાફરો એહાશકારો અનુભવ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં રેલવે તંત્ર દ્રારા ખોરવાયેલા વીજ પુરવઠાને યથાવત કરવા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયુ છે