અંકલેશ્વર : શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે પાટોત્સવની દબાદબાભેર ઉજવણી
BY Connect Gujarat2 Jan 2020 12:30 PM GMT
X
Connect Gujarat2 Jan 2020 12:30 PM GMT
અંકલેશ્વરના રામકુ઼ંડ નજીક આવેલાં ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિરને અતિ પ્રભાવશાળી તેમજ તુરંત ફળ આપનાર ગણવામાં આવે છે.
અંકલેશ્વરના રામકુંડ નજીક ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભગવાન ગણેશજીની 32 પૈકી એક મુદ્રા દર્શાવતી પ્રતિમાને સ્થાપિત કરાઇ છે. ગુજરાત તેમજ દેશ ભરના શ્રધ્ધાળુઓ માટે મંદીર આસ્થાનું કેન્દ્ર બની ચુકયું છે. બુધવારના રોજ મંદિરના પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ગણેશ યાગ, મહાઆરતી, મહા પ્રસાદી, ભંડારો, લોક ડાયરો સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં ભકતોએ હાજર રહી ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો.
Next Story