Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર: AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ યોગી એસ્ટેટ નજીક આવેલ ઓપન ગ્રાઉન્ડ ખાતે એ.આઈ.એ.નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="87339,87340,87341,87342,87343,87344,87345,87346,87347,87348,87349,87350,87351,87352,87353,87354"]

આ વખતે આ ટૂર્નામેન્ટ બે વિભાગમાં વહેંચી નાખવામાં આવી છે. જેમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ અને નાની ઇન્ડસ્ટ્રીઝ એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. બન્ને વિભાગોમાં ૧૬-૧૬ ટીમો ભાગ લઇ રહી છે. બંન્ને વિભાગોમાં નોકઆઉટ ધોરણે ટૂર્નામેન્ટ રમાશે. બન્નેની ફાઇનલ મેચ અલગ રમાશે. ફાઇનલ મેચો ર૩મી માર્ચે રમાશે.

આ ટૂર્નામેન્ટમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન,નવજીવન સ્પોર્ટસ કલબ અને નોટીફાઇડ એરિયા ઓથોરીટી અંકલેશ્વરના સંયુકત ઉપકમે યોજાઇ રહી છે. જેના ઉદઘાટન પ્રસંગે એઆઈએ પ્રમુખ મહેશભાઇ પટેલ, સોસીયલ કમિટીના ચેરમેન જોષી અને નવજીવન સ્પોર્ટસ કલબના સંદીપ વિઠલાણી તેમજ એઆઈએના મેનેજીંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.આ ટૂર્નામેન્ટ આમંત્રિતો સહીત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહી ભાગ લેનાર ટીમોને પ્રોત્સાહિત કરી હતી.

Next Story