અંકલેશ્વર ONGC દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે 51.74 લાખની સહાયનું વિતરણ કરાયુ
BY Connect Gujarat15 April 2017 6:24 AM GMT
X
Connect Gujarat15 April 2017 6:24 AM GMT
અંકલેશ્વર ONGC દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પ્રસંગે સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત લાભર્થીઓ ને રૂપિયા 51.74 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે ONGC અંકલેશ્વરના એસેટ મેનેજર DMR શેખર, શશી શંકર ડાયરેક્ટર (T & FS ) ONGC સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ONGC સંકુલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.
ONGC કોલોની ખાતેના સુર્યા ઓડિટોરિયમ માં લાભાર્થીઓને સીએસઆર અંતર્ગત ચેક, તેમજ જરૂરિયાતમંદો ને સાઇકલ, ઓટોરિક્ષા , તેમજ સિલાઈ મશીન,તથા વિદ્યાર્થી ઓ ને શૈક્ષણિક કીટ
સહિતની ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા 51.74 લાખની ,માતબર રકમની સહાય કરવામાં આવી હતી.
આ પ્રસંગે ONGC ની 75 ટાઉનશિપને કેશલેસ જાહેર કરવામાં આવી હતી,જે અંગેની ખુશી પણ એસેટ મેનેજર DRM શેખરે વ્યક્ત કરી હતી.
Next Story