અફઘાનિસ્તાન : જલાલાબાદ એરપોર્ટ પાસે થયો આત્મઘાતી હુમલો, 16 કર્મચચારીઓનાં મોત
BY Connect Gujarat6 March 2019 4:55 PM GMT
X
Connect Gujarat6 March 2019 4:55 PM GMT
અફઘાનિસ્તાન જલાલાબાદ એરપોર્ટ પાસે બુધવારે અફઘાનિસ્તાનની બાંધકામ કંપનીની ઓફિસમાં સ્યુસાઇડ બોમ્બર્સ અને બંધૂકધારીઓએ હુમલો કર્યો હતો, આ ઘટનામાં ઓછામાં ઓછા 16 કર્મચચારીઓનાં મોત થયાનું જાણવા મળ્યું હતું.
ત્યાંના અધિકારીએ જણાવ્યુ હતું કે આ હુમલો બે બાજુથી કરવામાં આવ્યો હતો, જેમાં બે આત્મઘાતી બોમ્બર્સે તેમના એક્સ્પ્લોઝિવ કંપનીની ઓફિસની બહાર ગોઠવ્યા હતા. અને બીજી બાજુ બંધૂકધારીઓએ ખુલ્લામાં ફાયરિંગ કર્યું હતું,
આ ઘટનામાં અનેક ગાર્ડ્સ સહિત પાંચ હુમલાખોરો – બે બોમ્બર્સ અને ત્રણ બંધૂકધારીઓ સહિત 16 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે નવ લોકો ઘાયલ થયા હતા. પાંચ હુમલાખોરોમાંથી બેએ પોતાને ઉડાડયા હતા, જ્યારે ત્રણ અન્યને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.
Next Story