અમદાવાદમાં કરાયું કુખ્યાત આરોપી અને બિલ્ડર નઝીર વોરા પર ફાયરિંગ
BY Connect Gujarat17 Jun 2018 9:24 AM GMT
X
Connect Gujarat17 Jun 2018 9:24 AM GMT
જુહાપુરાની સોનલ સિનેમાં પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે.
અમદાવાદના જુહાપુરામાં શહેરના હિસ્ટ્રિશીટર નઝીર વોરા પર આજે સવારે જુહાપુરાની સોનલ સિનેમાં પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. કારમાં આવેલા ત્રણ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં નઝીર વોરા બચી ગયો હતો. ત્રણ શખ્સોએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને કારમાં નાસી છૂટ્યા હતા.
પર હુમલામાં પોલીસે શંકાના આધારે ફરિયાદ નોંધી છે. વોરા અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જમીન અને ધાકધમકી આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. નઝીર આજે સવારે નમાજ પછી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર ફાયરિંગ કરાયું હતું.
ફાયરિંગ પાછળ કઈ અંગત અદાવત છે કે, બીજું કોઈ કારણ તે જાણવા માટે પણ પ્રયાસ કરવામાં પોલીસ સક્રિય બની છે.
ઉલ્લેખનીય છે કે, નઝીર વોરા અમદાવાદ, સુરત, વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી ચૂક્યો છે તેમજ અનેક ગેરકાયદે કામ સહિત પોલીસનો બાતમીદાર પણ છે.
Next Story