અમિતાભ બચ્ચન પરિવારદીઠ એક કરોડની કરશે સહાય, જાણો કોને મળશે
BY Connect Gujarat15 Jun 2018 6:36 AM GMT
X
Connect Gujarat15 Jun 2018 6:36 AM GMT
આર્મીના શહીદ જવાનોની વિધવા અને દેવામાં ડૂબેલા ખેડૂતોને આર્થિક સહાય કરશે
અમિતાભ બચ્ચને આર્મીના શહીદ જવાનોની વિધવા અને ખેડુતોનું દેવું ભરવા માટે આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમિતાભ આ માટે એક પરિવારને રૂપિયા ૧ કરોડની સહાય કરવાની યોજના કરી રહ્યા છે.
યોગ્ય લોકોના હાથમાં જ આ આર્થિક સહાય મળે તે માટે પીઢ અભિનેતાએ પોતાની એક વિશેષ ટીમ તૈયાર કરી છે. આના પરથી બોલીવૂડના અન્ય માંધાતાઓ પણ આ પગલે આગળ વધશે તેવી લોકો આશા રાખી રહ્યા છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. સહુ કોઇ જાણે છે કે ભારતના જવાનો અને ખેડૂતો ભારત માટે ગૌરવ સમાન છે. આ જ ગૌરવનું બિગ બી કદર કરી રહ્યા છે. જે એક સારી બાબત છે.
Next Story