Connect Gujarat
દેશ

આંધ્રપ્રદેશ : TDSના બે નેતાઓની નક્સલીઓએ ગોળી મારી કરી હત્યા

આંધ્રપ્રદેશ : TDSના બે નેતાઓની નક્સલીઓએ ગોળી મારી કરી હત્યા
X

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમાં તેલુગુ દેશમ પાર્ટીના બે નેતાઓની નક્સલીઓએ ગોળી મારી હત્યા કરી હતી. અરાકૂના ધારાસભ્ય કિદારી સર્વેસ્વરા રાવ અને પૂર્વ ધારાસભ્ય સિવેરી સોમા પર ડુંબ્રીગુડામાં નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 60થી વધારે નક્સલીઓ હોવાનું માનવામાં આવે છે. જેમાં મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કિદારી સર્વેસ્વરા રાવ વાઇએસઆર કોંગ્રેસ છોડીને ટીડીપીમાં જોડાયા હતા અને ચંદ્રબાબુ નાયડૂ સરકારમાં મંત્રીપદ માટે યોગ્યતા પૂરવાર કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ તે પહેલા જ નક્સલીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

સૂત્રો મુજબ આ હુમલામાં રાવના પર્સનલ આસિસ્ટન્ટની પણ મોત થઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચીને તેમના મૃતદેહોને કબ્જે કર્યા હતા. ઘટના અંગે જણાવતા વિશાખાપટ્ટનમના ડીઆઇજી શ્રીકાત્ને જણાવ્યું કે તેઓ પહેલા પણ રાજ્યના નેતાઓને આ મામલે ચેતવણી આપી હતી પરંતુ સર્વેસ્વરા રાવ અને સિવેરી સોમાએ ચેતવણીને નજરઅંદાજ કરી ડુંબ્રીગુડા પહોચ્યા હતા. તેમની હત્યાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Next Story