Connect Gujarat
દેશ

આગરામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યાથી ચકચાર

આગરામાં ભાજપના નેતાની  ગોળી મારી હત્યાથી ચકચાર
X

આગ્રાનાં ડૌકીના ગામમાં મેહરા નાહરગંજમાં સોમવારના રોજ સાંજે યમુના નદી કિનારે ભાજપ કાર્યકર્તા નાથુરામ વર્માને તેમના મિત્રએ ગોળી મારી હત્યા કરી નાખી હતી,ત્યારબાદ પછી ગ્રામીણ લોકોએ આરોપી સમર અને સુધીરને ઘેરી લીધા હતા અને મારમાર્યો હતો,જેમાં ઘાયલ થયેલા સુધીરનું હોસ્પિટલમાં જ મોત નિપજ્યુ હતુ.

સોમવાર સાંજે 7.30 વાગે ગામ ધનૌટ નિવાસી નાથુરામ વર્માને પૂર્વ પ્રધાન સમર અને તેમના ભાઈ સુધીર તેમને લઇ યમુના નદીના કિનારે પહોંચ્યા હતા,અને ત્યાં કોઈ વાત પર ઝઘડો થયો હતો,ગ્રામીણ લોકોના જણાવ્યા પ્રમાણે નાથુરામને બે ગોળી મારવામાં આવી હતી,જેમાં નાથુરામનું મોત નિપજ્યું હતુ,આ ઘટના થતા ત્યાં ગ્રામીણ લોકોએ બંને આરોપીને ઘેરીલીધા હતા,અને મારમાર્યો હતો, આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં ગ્રામીણ લોકોએ આરોપીને મારમારતા ઘાયલ થયેલા આરોપીનું હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ,અને એક આરોપી ફરાર થઈ ગયો હતો.

Next Story