Connect Gujarat
ગુજરાત

આજે પંચમહાલની સરકારી શાળાઓમાં CM રૂપાણી ગુણોત્સવનો પ્રારંભ કરશે 

આજે પંચમહાલની સરકારી શાળાઓમાં CM રૂપાણી ગુણોત્સવનો પ્રારંભ કરશે 
X

ગુજરાત સરકાર સંચાલિત ૩૨,૪૦૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં ૧થી ૮ ધોરણમાં ભણતા ૫૪ લાખથી વધુ બાળકોની લેખન-વાંચન- ગણન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે શુક્રવારથી બે દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ શરૃ થશે.

આ ૮મા ગુણોત્સવમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ, સનદી અધિકારીઓથી માંડીને વર્ગ-૧ સુધીના અધિકારીઓ મળીને આશરે ૩ હજાર જેટલા મહાનુભાવો તેમને ફાળવાયેલી શાળાઓમાં શુક્રવાર- શનિવારે જઈ મૂલ્યાંકન કરશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી શુક્રવારે પંચમહાલ તાલુકાના ગોવિંદી ગામની સરકારી શાળામાં જશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા જિલ્લાની શાળામાં જશે.

Next Story