આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નાગપુરમાં ત્રીજી ટી-20 મેચ રમાશે
BY Connect Gujarat10 Nov 2019 4:17 AM GMT
X
Connect Gujarat10 Nov 2019 4:17 AM GMT
આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T-20 મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ રાજકોટની હારને ભૂલીને સીરિઝ જીતી ઈતિહાસ રચવા માંગશે.
નાગપુરના ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક ટી-૨૦માં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બનશે. અંહી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે તેવી શક્યતા ઓછી લાગે છે. જે ટીમના સ્પિનરો ચાલશે તે વિજેતા બનશે. વીસીએ સ્ટેડિયમમાં અત્યાર સુધી 11 ટી-20 મેચ રમાઇ છે. જેમાં પ્રથ બેટિંગ કરનારી ટીમ 8 વખત જીતી છે.
Next Story