Connect Gujarat
દેશ

આતંકવાદીઓએ આ હુમલો સીધો દેશની આત્મા પર કર્યો છે : રાહુલ ગાંધી

આતંકવાદીઓએ આ હુમલો સીધો દેશની આત્મા પર કર્યો છે : રાહુલ ગાંધી
X

ગઈ કાલે દેશના ૩૭ જેટલા જવાન માર્યા ગયા એ બહુ દુ:ખદ ઘટના છે.

આ એક વ્યક્તિ પર હુમલો નથી આ પૂરા દેશ પર છે આથી આ વિચાર વિમર્શ અને શોકની ભાવના સાથે અચાનક સ્પેસિયલ પ્રેસ કોન્ફ્રેરન્સ રાહુલ ગાંધીએ રાખી હતી.

રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંગ રાખેલી સ્પેસિયલ પ્રેસ કોન્ફ્રેરન્સમાં રાહુલ ગાંધી એ હુમલાના કટાક્ષ ના સંદર્ભ માં કહ્યું કે આતંકવાદ દેશ ને તોડવાની કોશિશ કરે છે આપણાં ભારત દેશને દુનિયાની કોઈ પણ શક્તિ તોડી ના શકે. પૂરેપુરી ઓપોઝિશન પાર્ટી (કોંગ્રેસ) એકજુથ થઈને એકસાથે દેશના જવાનો સાથે દેશની સરકાર સાથે ઊભા છે. આ જે પણ હુમલો થયો છે તે હિંદુસ્તાનની આત્મા પર હુમલો થયો છે જેણે આવું કૃત્ય કર્યું છે તે ને એવું ક્યારેય ના લાગવું જોઈએ કે, તે નાના માં નાનું દુખ પણ દેશને પહોચાડી શકે છે, એમને ખબર હોવી જોઈએ કે આ દેશ તેમની શું હાલત કરી શકે છે.

આ સમય આત્મ સમભાવનાનો છે અને આ હુમલાને કારણે સમગ્ર દેશ માં દુખની અને શોક ની લાગણી છવાઈ ગઈ છે આ હુમલાની બાબત પર કોંગ્રેસ અમારી સિક્યોરિટી ફોર્સ અને સરકાર સાથે ઊભી છે.

Next Story