આતંકી હુમલાને પગલે ખંઢેરી સ્ટેડિયમમાંથી પાકિસ્તાનનુ બેનર અને બેટ દુર કરાયા
BY Connect Gujarat23 Feb 2019 8:07 AM GMT
X
Connect Gujarat23 Feb 2019 8:07 AM GMT
પુલવામામા થયેલ આંતકી હુમલાને પગલે દેશભરમા આક્રોશ છે. ત્યારે રાજકોટના ખંઢેરીયા ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ગ્રાઉન્ડ ખાતે લગાવવામા આવેલ બેનરમાંથી પાકિસ્તાનનુ બેનર દુર કરવામા આવ્યુ છે. સાથે જ પાકિસ્તાનના ખેલાડીની સહિ વાળુ બેટ પણ દુર કરવામા આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ મેચ રમતા દેશના બેનર અને તેમના પ્લેયરની સહિ વાળુ બેટ રાખવામા આવે છે. ત્યારે આતંકી હુમલાના પગલે આ બેનર અને બેટ પણ હટાવી વિરોધ પ્રદર્શીત કરકવામા આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારતને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ન રમવાનુ સુચન પણ કર્યુ છે.
Next Story