Connect Gujarat
દેશ

આવતીકાલે મોદી કરશે મન કી બાત

આવતીકાલે મોદી કરશે મન કી બાત
X

તારીખ 24મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઇન્ડિયા રેડિયો પરથી મન કી બાત કરશે. મોદી આ વખતે 19મી વાર દેશવાસીઓને મન કી બાત દ્વારા સંબોધિત કરશે. અગાઉ મોદીએ ટ્વિટ કરીને લોકોને મન કી બાત વિશે પોતાના વિચારો જણાવવા અપીલ કરી હતી. અત્યાર સુધી મોદીએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. જેમાં ડ્રગ એડિક્શન, ખેડૂતોની સમસ્યાઓ, ખાદી વિશે, વધતા જતા રોડ એક્સિડન્ટ વગેરે જેવા વિષયોનો સમાવેશ થાય છે.

ત્યારે આવતીકાલે વડાપ્રધાન મોદી કયા વિષય પર ચર્ચા કરશે તે જાણવા સૌ કોઇ આતુર છે. આવતીકાલે સવારે 11 વાગ્યે મોદી મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે મોદીની છેલ્લે કરવામાં આવેલી મન કી બાતમાં તેમની સાથે સચિન તેંડુલકર અને વિશ્વનાથન આનંદ પણ જોડાયા હતા.

Next Story