Connect Gujarat
દેશ

આસામના બારપેટામાં 4.7નો ભૂકંપનો આંચકો, લોકો ઘરમાંથી બહાર દોડ્યા 

આસામના બારપેટામાં 4.7નો ભૂકંપનો આંચકો, લોકો ઘરમાંથી બહાર દોડ્યા 
X

આસામમાં મંગ‌ળવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આસામના બારપેટામાં સવારે 9.17 કલાકે ભૂકંપનો આંચકો આવતાં ધરા ધ્રૂજી ઉઠી હતી.

આજ રોજ સવારના સમયે ઉત્તર ભારતનાં ગુવાહાટી, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં આંચકા અનુભવાયા હતા. સૌપ્રથમ સવારે 9.17 કલાકે ત્યારબાદ 9.21 કલાકે એમ બે વખત ભૂકંપના આંચકા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આવ્યા હતા. ભૂકંપને પગલે ધ્રૂજારીથી લોકોમાં ભય ફેલાયો હતો. જેના પગલે લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. હજુ સુધી જાન માલની નુકસાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી

Next Story