Connect Gujarat
દેશ

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા,વિરાટ બન્યો કેપ્ટન 

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા,વિરાટ બન્યો કેપ્ટન 
X

ભારતીય ક્રિકેટ ના સ્ટાર ખેલાડી અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની દ્વારા કેપ્ટન પદ છોડયા બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર વન ડે અને ટી-20 સિરીઝ માટે ઇન્ડિયન ટીમ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીનો બંને ફોર્મેટમાં વિકેટ કીપર અને બેટસમેન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે યુવરાજ સિંહ , સુરેશ રૈના ,આશિષ નહેરા એ ટીમમાં વાપસી કરી હતી.

વન-ડે ટીમ :- વિરાટ કોહલી (સુકાની), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), લોકેશ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાદવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડયા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ , ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

ટી-20 ટીમ :- વિરાટ કોહલી (સુકાની), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), મનદીપ સિંહ, લોકેશ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડયા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નેહરા.

વન ડે સિરીઝ :- પ્રથમ મેચ 15 જાન્યુઆરીએ પુણે ખાતે

બીજી મેચ 19 જાન્યુઆરીએ કટક ખાતે

ત્રીજી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતા ખાતે

ટી -20 સિરીઝ :- પ્રથમ મેચ 26 જાન્યુઆરીએ કાનપુર ખાતે

બીજી મેચ 29 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે.

Next Story