Connect Gujarat
સમાચાર

ઉના તાલુકા માં દલિત યુવાનો પર અત્યાચારની ઘટના ના ભરૂચ જિલ્લા માં પડઘા પડયા

ઉના તાલુકા માં દલિત યુવાનો પર અત્યાચારની ઘટના ના ભરૂચ જિલ્લા માં પડઘા પડયા
X

ભરૂચ તેમજ આમોદ ના દલિત સમાજ દ્વારા કહેવાતા ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી ની માંગ કરી

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના મોટા સમઢી વાળા ગામ માં કહેવત ગૌરક્ષકો દ્વારા દલિત યુવાનો ને અર્ધ નગ્ન કરીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.જે ઘટના ના ઘેરા પડઘા સમગ્ર રાજય માં પડી રહ્યા છે.

દલિત યુવકો ઉપર અત્યાચાર ગુજારનાર ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી કરવા અંગેની માંગ સાથે ભરૂચ ના દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને સંબોધી ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

તો બીજી તરફ આમોદ ના દલિત સમાજ દ્વારા પણ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી ને દલિત યુવકો સાથે થયેલ અન્યાય સામે યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય અપાવવા ની માંગ કરી હતી.

Next Story